Tag Archives: david warner

Tokyo Olympics: ગોલકિપર સવીતાના ઓસ્ટ્રેલિયન ક્રિકેટર-હાઇ કમિશ્નરે કર્યા વખાણ, કહ્યું- ‘ધ ગ્રેટ વોલ ઓફ ઈન્ડિયા’

નવી દિલ્હી. ભારતીય મહિલા હોકી ટીમ (Indian Woman Hockey Team) ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics)માં ઓસ્ટ્રેલિયા (India Beat Australia)ને હરાવીને પોતાના પ્રશંસકોની સાથોસાથ વિરોધી ટીમના ફેન્સને પણ પ્રશંસક કરી દીધા. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોથી લઈને હાઇ કમિશ્નર સુધી, તમામ ભારતીય મહિલા હોકી ટીમના વખાણ કરી રહ્યા છે. ભારતમાં ઓસ્રેનેલિયના હાઇ કમિશ્નર બૈરી ઓ ફેરેલ (Barry O’Farrell)એ તો ભારતીય ટીમને શુભેચછા આપતા ગોલકીપર સવિતા પૂનિયા (Savita Punia)ને ધ ગ્રેટ વોલ ઓફ ઈન્ડિયા (The Great Wall of India) તરીકે ગણાવી. સવિતા પૂનિયાએ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ક્વાર્ટર ફાઇનલમાં 9 પેનલ્ટી કોર્નર સેવ કર્યા.

ભારતીય મહિલા ટીમે સોમવારે રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં ત્રણ વારની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવ્યું. તેની સાથે જ ટીમે ઓલમ્પિક ઈતિહાસમાં પહેલીવાર સેમીફાઇનલમાં પ્રવેશ કરી દીધો. આ ઐતિહાસિક જીતથી સમગ્ર ભારતમાં ઉજવણી કરવામાં આવી રહી છે. શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. ખુશીની વાત એ છે કે ઓસ્ટ્રેલિયા તરફથી પણ ભારતને શુભકામનાઓ મળી રહી છે.

આ પણ વાંચો, Tokyo Olympics: ભારતીય મહિલા હોકી ટીમ પહેલીવાર સેમીફાઇનલમાં, ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ડેવિડ વોર્નર એ પણ ભારતીય મહિલા ટીમની જીત પર ખુશી વ્યક્ત કરી છે. ડેવિડ વોર્નરે આઇપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદના ટ્વીટને રિટ્વીટ કર્યું. વોર્નરે લખ્યું કે, શાબાશ આપણી છોકરીઓ! તમે તમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું અને ભારતને પણ શુભેચ્છા, ગુડ લક.

આ પણ વાંચો, Tokyo Olympics: સતીશ કુમાર ક્વાર્ટર ફાઇનલમાં હાર્યો, પુરુષ બોક્સર મેડલ જીતવામાં નિષ્ફળ રહ્યા

હોકી ઈન્ડિયાએ પણ ગોલકિપર સવિતા પૂનિયાની શ્રેષ્ઠ રમતને સલાક કરી. હોકી ઈન્ડિયાએ સવિતાની તસવીર પોસ્ટ કરી લખ્યું કે, વોલ (દિવાલ)ની નવી પરિભાષા…સોશિયલ મીડિયામાં પણ સવિતા પૂનિયાના જોરદાર વખાણ થઈ રહ્યા છે. હોકીના પ્રશંસક તેને ટીમની દિવાલ અને કવચ કહી રહ્યા છે. ભારતે મેચ જીત્યા બાદ સોમવારે દિવસભર સોશિયલ મીડિયામાં ધ ગ્રેટ વોલ ઓફ ઈન્ડિયા સવિતા પૂનિયા ટ્રેન્ડ કરતું રહ્યું.

ડેવિડ વોર્નરે કહ્યું- રાહુલ દ્રવિડે લગાવી મેચ વિનર ખેલાડીઓની લાઈન, પૂરી રીતે બદલી ગઈ ટીમ ઇન્ડિયા

નવી દિલ્હી : છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ટીમ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. દેશમાં મજબૂત ટીમોને હરાવવાની સાથે વિદેશમાં પણ ભારતીય ટીમ જીતનો ડંકો વગાડી રહી છે. ભારતીય ક્રિકેટમાં આ બદલાવ રાતોરાત નથી આવ્યો. દેશમાં ઘરેલુ ક્રિકેટનો મજબૂત ઢાંચો તૈયાર કરવામાં આવ્યો છે. યુવા ખેલાડીઓના ટેલેન્ટને ઓળખવામાં આવ્યું છે અને બે ટીમ ઈન્ડિયા તૈયાર કરવામાં આવી છે. આ બાબતનો સંપૂર્ણ શ્રેય પૂર્વ ભારતીય બેટ્સમેન અને નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેક્ટર રાહુલ દ્રવિડને આપવામાં આવે છે. રાહુલ દ્રવિડે છેલ્લા કેટલાક વર્ષોમાં પૃથ્વી શૉ, શુભમન ગિલ, મયંક અગ્રવાલ જેવા ખેલાડીઓને પરખવાનું કામ કર્યું છે, જે હવે ભારતીય ટીમ માટે રમી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નર પણ રાહુલ દ્રવિડના ટેલેન્ટથી વાકેફ છે. ડેવિડ વોર્નરે સ્પોર્ટ્સ ટુડે સાથે વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે હાલના ભારતીય ક્રિકેટમાં રાહુલ દ્રવિડનું ખૂબ જ યોગદાન છે. રાહુલ દ્રવિડે મચ વિનર ખેલાડીઓની લાઈન લગાવી દીધી છે, જેના કારણે ભારતીય ક્રિકેટમાં ખૂબ જ મોટો ફેરફાર થયો છે. આ વાત માટે તમારે બહુ વધારે પાછળના સમયને યાદ કરવાની જરૂર નથી. હમણા ઓસ્ટ્રેલિયામાં જ થયેલ ટેસ્ટ મેચમાં ભારતે ટેસ્ટ સીરિઝમાં ઐતિહાસિક જીત મેળવી હતી, જે આ વાતનું ઉદાહરણ છે. આ મેચમાં ઈશાંત રમ્યો ન હતો. એડિલેડમાં થયેલ પ્રથમ ટેસ્ટ બાદ વિરાટ કોહલી, મોહમ્મદ શમી બહાર નીકળી ગયા હતા. તેમ છતાં ભારતીય ટીમે મેલબર્ન ટેસ્ટ જીતી હતી.

અગાઉ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં 5 ખેલાડીઓએ ટેસ્ટ ડેબ્યુ કર્યું

ઓસ્ટ્રેલિયામાં રમવામાં આવેલ મેચમાં રવિન્દ્ર જાડેજા, રોહિત શર્મા અને ઉમેશ યાદવ ટેસ્ટ મેચ રમી શક્યા ન હતો. રવિચંદ્રનન અશ્વિન અને હનુમા વિહારી એક પણ ટેસ્ટ રમ્યા ન હતો. છેલ્લી ટેસ્ટ શરૂ થવા સમયે સીરિઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11માં સામેલ માત્ર બે ખેલાડી ટીમ મેનેજમેન્ટના પ્લેઈંગ-11માં બાકી રહ્યા હતા. ભારત તરફથી પાંચ ખેલાડીઓએ આ ટેસ્ટ સીરિઝમાં ડેબ્યુ કર્યું હતું. જેમાં મોહમ્મદ સિરાજ, ટી નટરાજન, વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની અને શુભમન ગિલ જેવા ક્રિકેટરના નામ સામેલ છે.

આ પણ વાંચો – લગ્નમાં હાથી થયો બેકાબુ, ગાડીઓના વાળ્યા કચ્ચરઘાણ, વરરાજા જીવ બચાવવા ભાગ્યા, જુઓ VIDEO

આ પહેલા 1996માં ભારતમાં વિદેશી પ્રવાસ પર આટલા મોટા પ્રમાણમાં ડેબ્યૂ થયા હતા. આ દરમિયાન ઈંગ્લેન્ડમાં 6 ખેલાડી પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા હતા. જેમાંના બે રાહુલ દ્રવિડ અને પારસ મ્હામ્બ્રે હતા. આ બંને ખેલાડીઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત માટે નવા ખેલાડીઓની લાઈન લગાવી દીધી છે. દ્રવિડ નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેક્ટર રહ્યા છે, તો પારસ મ્હામ્બ્રે બોલિંગ કોચ છે.

દ્રવિડે 150 યુવા ખેલાડીઓ તૈયાર કર્યા

દ્રવિડ અને મ્હામ્બ્રેએ મળીને અંડર-16 અને અંડર-19ના 150 ટેલેન્ટેડ ખેલાડીઓને તૈયાર કર્યા છે. આ 150 ખેલાડીઓને 25-25ના અલગ અલગ 6 ગ્રુપમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. આ દરેક ગ્રુપને ઝોનલ ક્રિકેટ એકેડમીમાં કેમ્પ લગાવીને એક મહિનો તાલીમ આપવામાં આવી હતી. જેમાંથી 50 ખેલાડીઓને અલગ કરવામાં આવ્યા અને તેમને નેશનલ કેમ્પમાં અલગ ટ્રેનિંગ આપવામાં આવી. આ એકેડમીમાં આંતરાષ્ટ્રીય સ્તરના ટ્રેનર, ફીઝિયો અને કોચિંગ સ્ટાફ હતા.

અનેક વાર નેશનલ ક્રિકેટ એકેડમીના કોચ પારસ મ્હામ્બ્રે, નરેન્દ્ર હિરવાની, અભય શર્મા અને રાહુલ દ્રવિડ પણ આ કેમ્પમાં ખેલાડીઓના ટેલેન્ટને પારખવા માટે જતા હતા. આ ઝોનલ કેમ્પને ચલાવવાની જવાબદારી કોચ પાસે હતી. જેમાં અજય રાત્રા, મહિલા ક્રિકેટ ટીમના હાલના કોચ રમેશ પવારના નામ સામેલ છે.

દ્રવિડ કોચ હતા ત્યારે ભારતે અંડર-19નો વર્લ્ડ કપ જીત્યો

રાહુલ દ્રવિડે વર્ષ 2015માં ઇન્ડિયા અંડર-19 ટીમ અને ટીમ-એ ના હેડ કોચનું પદ સંભાળ્યું હતું. રાહુલ દ્રવિડે ટ્રેનિંગ આપતા ભારત 2016માં અંડર-19 વિશ્વ કપનું ઉપવિજેતા રહ્યું અને 2018માં વર્લ્ડ કપ જીત્યો. રાહુલ દ્રવિડના માર્ગદર્શન હેઠળ પૃથ્વી શૉ, દેવદત્ત, પડિક્કલ, મયંક અગ્રવાલ, ઈશાન કિશન જેવા ખેલાડીઓએ રાષ્ટ્રીય ટીમમાં જગ્યા મેળવી હતી. રાહુલ દ્રવિડે સેમસનને IPL મેચમાં જગ્યા મેળવવા માટે મદદ કરી હતી.

દ્રવિડ IPL ટીમના મેન્ટર રહી ચૂક્યા છે

દ્રવિડ અંડર 19 અને ઇન્ડિયા એ ટીમના કોચ બન્યા પહેલા વર્ષ 2012-13માં IPL ટીમ રાજસ્થાન રોયલના કોચ, કેપ્ટન અને મેન્ટર રહી ચૂક્યા છે. તેમની કોચિંગ હેઠળ રાજસ્થાન રોયલ ટીમ 2013માં લીગમાં પ્લેઓફ રમી હતી. વર્ષ 2016માં ભારતીય અંડર-19 ટીમના કોચ બનતા પહેલા દ્રવિડ પાસે દિલ્હી ડેયરડેવિલ્સ (હાલમાં દિલ્હી કેપિટલ્સ)ના કોચ બનવા માટેની ઓફર આવી હતી. આ ઓફરનો અસ્વીકાર કરતા રાહુલ દ્રવિડે અંડર-19 ટીમને કોચિંગ આપવાનો નિર્ણય કર્યો હતો.

રાશિદ ખાનના આલિશાન ઘરને જોઈ મહિલા ક્રિકેટરે પૂછ્યું, મહેલ છે કે શું? બ્રાવોએ કહ્યું હોટલ લાગે છે

નવી દિલ્લી: અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાન (Rashid Khan) આઈપીએલ 2021 સ્થગિત થયા બાદ ઘરે પહોંચ્યો છે. રાશિદે તેના આલીશાન ઘરની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી જેનો જોતા લોકોમાં હેરાન થઇ ગયા હતા. આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદના સ્ટાર સ્પિનરે શનિવારે તેના ઈન્સ્ટાગ્રામ પર તેના ઘરની તસવીર શેર કરી હતી. જે તસવીર ખુબ જ વાયરલ થઇ રહી છે. જેનું કારણ તેનું આલીશાન ઘર છે જેને જોતા લોકોએ તેને સવાલ કર્યો હતો કે આ મહેલ છે કે કોઇ હોટલ.

રાશિદ ખાને કેપ્શન આપતા લખ્યું હતું, જુમ્મા મુબારક ઘરે રહો સુરક્ષિત રહો. રાશિદની આ તસવીર પર વેસ્ટઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી બ્રાવોએ અને ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડૈનિયલ વૉટએ પણ કમેન્ટ કરી હતી,

 

 

View this post on Instagram

 

A post shared by Rashid Khan (@rashid.khan19)

ડૈનિયલ (Danielle Wyatt)એ આ અંગે કમેન્ટ કરતા લખ્યું કે, શું મહેલ છે, આ સાથે તેને આગની ઈમોજી પણ કમેન્ટમાં પોસ્ટ કરી હતી. રાશિદની આ તસવીર પર અનેક ક્રિકેટર ફેન્સ દ્વારા કમેન્ટ કરવામાં આવી રહી છે અને તેના આલીશાન ધરના વખાણ કરવામાં આવી રહ્યા છે.

dwayne bravo daniell

કોરોના વાયરસને કારણે 29 મેચ બાદ આઈપીએલની 14 મી સીઝન અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. રાશિદે 7 મેચ રમી હતી અને કુલ 17 વિકેટ લીધી હતી. તે આ લીગમાં 2017 થી રમી રહ્યો છે અને તેની અત્યાર સુધીમાં 69 મેચોમાં 85 વિકેટ છે.

માલદીવના બારમાં ડેવિડ વોર્નર અને માઇકલ સ્લેટરની વચ્ચે મારામારી , બંન્ને દિગ્ગજોએ કર્યો ખુલાસો

નવી દિલ્લી: આઇપીએલ 2021સ્થગિત કરવામાં આવતા મોટા ભાગના વિદેશી ખેલાડીઓ તેમના દેશમાં પાછા પહોંચી ગયા છે. પરંતુ ઓસ્ટ્રેલીયા દ્વારા પ્રવાસ પરના પ્રતિબંધને કારણે તેમના દેશના ખેલાડીઓ કોચ અને કોમેન્ટેટર પાછા વતન પહોંચી શક્યા નથી અને કોરોન્ટાઇન નિયમો દૂર થવાની રાહ જોઇ રહ્યા છે. આ વચ્ચે એક રીપોર્ટ સામે આવ્યો છે કે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, માલદીવમાં એક બારમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર અને કોમેન્ટેટર સ્લેટર વચ્ચે મારામારી થઇ હતી આ રીપોર્ટ સામે આવ્યા બાદ બંન્નેએ આ અંગે ખુલાસો કર્યો હતો અને બંન્ને વચ્ચે મારામારી થવાની વાતનો ઈનકાર કર્યો હતો.

વોર્નરે પણ સ્વચ્છતા આપવામાં મોડું ન કર્યું અને તેમણે એમ પણ કહ્યું કે અમારી વચ્ચે આવો કોઈ વિવાદ થયો નથી. હું જાણતો નથી કે તમે બધા આટલું લખો છો. તે પણ જ્યારે તમે અહીં જાતે હાજર ન હોવ. તમે કશું જોયું નથી આવી સ્થિતિમાં, જ્યારે કોઈ ખાતરીપૂર્વકના પુરાવા નથી, તો તમે કંઈપણ લખી શકતા નથી.

આ પણ વાંચો:  IPL 2021: સપ્ટેમ્બરમાં થઇ શકે છે આઇપીએલની બાકીની મેચો. BCCIએ આપ્યા સંકેત

વોર્નર અને સ્લેટર વચ્ચેની મિત્રતા જૂની છે. આ બંનેએ સાથે મળીને સ્કાય સ્પોર્ટ્સ રેડિયો અને ચેનલ 9 માટે અનેક કાર્યક્રમો કર્યા છે. દરમિયાન, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરીસનની ટીકાને કારણે સ્લેટર સતત ચર્ચામાં રહે છે. સ્લેટર તાજેતરમાં પ્રવાસ પ્રતિબંધ માટે વડા પ્રધાન મોરીસનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે. તેમના દેશના વડા પ્રધાનને તેમના લોકોની કોઈ પરવા નથી. જો કે વડા પ્રધાને તેમના નિવેદનની નિંદા કરતા કહ્યું કે ઓસ્ટ્રેલિયન સરકારની પ્રાથમિકતા તેના નાગરિકોનું રક્ષણ છે.

આઈપીએલ મોકૂફ રાખવામાં આવ્યા બાદ ઓસ્ટ્રેલિયાના 38 ખેલાડીઓ, કોચ, અધિકારીઓ અને કમેંટેટર્સ હાલમાં માલદીવમાં ક્વોરેંટાઇન્ડ છે. તે બધા ગુરુવારે ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા અહીં પહોંચ્યા હતા. તેઓને અહીં બે અઠવાડિયા રોકાવું પડી શકે છે. કારણ કે ઓસ્ટ્રેલિયાએ 15 મે સુધી ભારત તરફથી આવતી ફ્લાઇટ્સ બંધ કરી દીધી છે.

Breaking News: ડેવિડ વોર્નરની જગ્યાએ કેન વિલિયમસન બન્યો સનરાઇઝર્સ હૈદરાબાદનો નવો કેપ્ટન

નવી દિલ્લી: સનરાઇઝર્સ હૈદરાબાદએ આઈપીએલ 2021ની બાકીની મેચોમાં ન્યુઝીલેન્ડના ખેલાડી કેન વિલિયમસનને ટીમના નવા કેપ્ટન તરીકે નિમણૂંક કરી છે. હાલમાં ટીમની કેપ્ટન ઓસ્ટ્રેલિયન ખેલાડી ડેવિડ વોર્નરે હતો. આ સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદનું પ્રદર્શન ખૂબ નબળું છે. હૈદરાબાદની ટીમે છ મેચોમાં પાંચ વખત હારનો સામનો કરવો પડ્યો છે. આ ટીમ આઈપીએલના પોઇન્ટ ટેબલમાં સૌથી નીચા સ્થાન પર છે. ડેવિડ વોર્નર ખુદ રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. હૈદરાબાદ પાસે ઇંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન જેસન રોયનો વિકલ્પ છે. હવે પછીની કેટલીક મેચોમાં જેસન રોયને ડેવિડ વોર્નરની જગ્યાએ ટીમમાં સ્થાન મળી શકે છે.

મધ્ય સિઝનમાં વોર્નરને સનરાઇઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપથી દૂર કરવામાં આવ્યા તે પહેલાં ઘણા પ્રસંગોમાં આ બન્યું છે. કોલકાતા નાઈટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે ગયા વર્ષે યુએઈમાં આયોજિત આઈપીએલ દરમિયાન કેપ્ટનશીપ માંથી હટાવ્યો હતો. આ અંગે ખુદ કેકેઆરએ ટ્વીટ કરીને માહિતી આપી હતી. તેણે આ કામ મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ પહેલા કર્યું હતું. તે પછી કાર્તિકની જગ્યાએ ઇંગ્લેન્ડના ઓયેન મોર્ગનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

IPL 2021: આ સુંદર અભિનેત્રીએ પૃથ્વી શોને શા માટે આપી સૂટકેસ લેવાની સલાહ?

આ અગાઉ 2014ની આઈપીએલમાં પણ સનરાઇઝર્સ હૈદરાબાદે મધ્ય સીઝનમાં શિખન ધવનને કેપ્ટનશીપથી હટાવતાં ટીમની કમાન વેસ્ટ ઇન્ડીઝની ડેરેન સામીને સોંપી હતી. 2012માં ડેક્કન ચાર્જર્સની કપ્તાન કરતી વખતે શ્રીલંકાના ભૂતપૂર્વ બેટ્સમેન કુમાર સંગાકારા સાથે પણ આવું જ બન્યું હતું. તેણે માત્ર ખરાબ ફોર્મના કારણે કેપ્ટનશીપ છોડી દીધી હતી. ઉલટાનું તેણે પોતાની જાતને પ્લેઇંગ-11માંથી પણ બહાર કરી દીધી હતી. જેથી કેમેરોન વ્હાઇટને રમવાની તક મળી શકે.

IPL 2021, CSK vs SRH: ગાયકવાડ અને પ્લેસિસ ઝળક્યા, ચેન્નાઈ જીત સાથે ટોચના સ્થાને

આ ઉપરાંત 2013માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરનાર રિકી પોન્ટિંગે પણ ખરાબ ફોર્મના કારણે કેપ્ટનશિપ છોડી દીધી હતી અને તે પછી રોહિત શર્મા ટીમનો નવો કેપ્ટન બન્યો હતો. તે જ સમયે, 2016 માં, કિંગ્સ ઇલેવન પંજાબ (પંજાબ કિંગ્સ)એ પણ ડેવિડ મિલરને કેપ્ટનશીપથી દૂર કરીને મુરલી વિજયને જવાબદારી સોંપી હતી.

IND vs AUS : બુમરાહનો સામનો કરવા વોર્નરે બેટ સાથે કરી ‘છેડછાડ’

વર્લ્ડ કપ 2019માં મુકાબલો કેટલો ટક્કરનો છે, તેને એ વાતથી સમજી શકાય છે કે, ખેલાડીઓ તેના માટે પોતાની તૈયારીઓ પણ નવી રીતે કરી રહ્યા છે. દુનિયાભરના બોલરોને ડરાવનાર ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર પણ અલગ પ્રકારે વર્લ્ડ કપની તૈયારીમાં લાગેલો છે.

તમને જણાવી દઈએ કે, અભ્યાસ દરમ્યાન તેણે પોતાના બેટની તકનીકમાં કઈંક ફેરફાર કર્યો છે. તેણે બેટમાં એક નવી ડિવાઈસ લગાવી છે, જેને બેટ સેન્સર કહે છે. આ ડિવાઈસ દ્વારા ખેલાડીની બેક લિફ્ટ અને બેટની ગતી જેવો ડેટા સ્ટોર કરી શકાય છે. બેંગ્લોર સ્થિત સ્માર્ટ ક્રિકેટ કંપનીએ આ ડિવાઈસ બનાવી છે.

બુમરાહ વિરુદ્ધ વોર્નરનું હોમવર્ક
વોર્નરે આ સેન્સરનો ઉપયોગ પોતાના બેટમાં કર્યો છે, જેથી તે તેના દ્વારા સામે આવનાર ડેટાનો ઉપયોગ ભારતીય બોલર જસપ્રીત બુમરાહ જેવા બોલરો સામે કરી શકે. વોર્નરના બેટ સેન્સરે આ વાતનો રસપ્રદ ખુલાસો કર્યો છે કે, બુમરાહનો સામનો કરવા માટે તે કઈ પ્રકારની તૈયારી કરી રહ્યો છે.

ઉદાહરણ તરીકે બુમરાહના યોર્કરનો સામનો કરવા માટે બેટની સ્પીડ 70-75 કિલોમીટર પ્રતિ કલાક હોવી જોઈએ, પરંતુ વોર્નર 85-90 કિમી પ્રતિ કલાકની સ્પીડ નિકાળવાનો પ્રયાસ કરી રહ્યો છે. સામે, બુમરાહની એક્શન જે પ્રકારની છે, તેના હિસાબે બેક લિફ્ટનો એંગલ 120-125 ડિગ્રી હોવો જોઈએ અને બેટિંગ પહેલી સ્લિપ તરફથી નીચે તરફ આવવી જોઈએ. જ્યારે ભુવનેશ્વર કુમાર વિરુદ્ધ વિકેટકિપરની લાઈનમાં હોવી જોઈએ. સ્પિનર વિરુદ્ધ બેક લિફ્ટની એંગલ ઓછામાં ઓછી 160 ડિગ્રી અને વધારેમાં વધારે 175 ડિગ્રી હોવી જોઈએ.

આઈસીસીએ 2017માં જ આપી દીધી હતી અનુમતી
બહુ ઓછા લોકોને ખબર હશે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે બેટ સેન્સરની બે વર્ષ પહેલા 2017માં મંજૂરી આપી દીધી હતી. પરંતુ, ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને છોડી દઈએ તો, અન્ય કોઈ ટીમે તેનો વધારે ઉપયોગ નથી કર્યો.

બેટ સેન્સર કેવી રીતે કરે છે કામ
આ સેન્સર બેટિંગના હેન્ડલમાં સૌથી ઉપર લગાવવામાં આવે છે. જ્યાં સુધી બેટ્સમેન બેટિંગ કરી રહ્યો હોય છે, ડેટા એક મોબાઈલ એપ ક્લાઉડ સ્ટોરેજમાં ભેગી થતો રહે છે.

માફી માંગતા રડી પડ્યો વોર્નર, કહ્યું- હવે દેશ માટે ક્યારેય નહીં રમી શકું

છેલ્લા થોડા દિવસથી ક્રિકેટ જગતમાં બોલ ટેમ્પરિંગની ચર્ચા ચાલી રહી છે. આ કેસમાં ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ અને કેમરન બ્રેનક્રોફ્ટને લઈને ક્રિકેટ બે ભાગમાં વહેંચાયેલું નજરે પડે છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને માફી માંગવામાં આવી રહી છે. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમની આંખમાંથી આંસુ છલકાતા જોવા મળી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયન ટીમના વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર પર બોલ ટેમ્પરિંગમાં સામેલ હોવાના ગુનામાં એક વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. શનિવારે પ્રથમ વખત મીડિયા સામે હાજર થયેલો ક્રિકેટર ધ્રૂસકે દ્રૂસકે રડવા લાગ્યો હતો. આ પહેલા સ્ટિવ સ્મિથ પણ મીડિયા સામે રડી પડ્યો હતો.

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે મીડિયા સાથે વાતચીત કરતા વોર્નરે બોલ ટેમ્પરિંગમાં પોતાની ભૂલ સ્વીકારી હતી, મીડિયાને સંબોધતી વખતે અનેક વખત તેની આંખમાંથી આંસુ છલકાઈ ગયા હતા. વોર્નરે સ્વીકાર કર્યો કે તેની ભૂલને કારણે ક્રિકેટની રમત બદનામ થઈ છે. સાથે જ તેણે પોતાના પરિવાર અને દક્ષિણ આફ્રિકાની માફી માંગી હતી.

ઓસ્ટ્રેલિયાના આ ધાકડ બેટ્સમેનને આશા છે કે 12 મહિનાના પ્રતિબંધ બાદ તે ફરીથી દેશ માટે ક્રિકેટ રમી શકશે. વોર્નરે કહ્યું કે, ‘મારા મનમા ક્યાંક ને ક્યાંક એ વાત છે કે મને ફરીથી મારા દેશનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળશે. પરંતુ એવું પણ થઈ શકે કે આવો મોકો ક્યાકેય ન પણ આવે.’

ડેવિડ વોર્નરે કહ્યું કે, ‘હું ટીમના સાથી અને સહાયક કર્મચારીઓની માફી માંગુ છું. કેપટાઉનમાં ટેસ્ટના ત્રીજા દિવસે જે થયું તેના માટે હું જવાબદાર છું.’ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વોર્નરને બોલ ટેમ્પરિંગ કેસમાં મુખ્ય ષડયંત્રકાર ગણાવ્યો છે. તેને જૂનિયર ખેલાડીને બોલ સાથે ટેમ્પરિંગ કરવાની સૂચના આપવાનો આરોપી બનાવ્યો છે.

આંસુઓથી છલકાતી આંખે વોર્નરે કહ્યું કે, ‘આ વિશ્વાસઘાત માટે હું મારા પ્રશંસકો અને ક્રિકેટ પ્રેમીઓની દિલથી માફી માંગવા માટે આવ્યો છું. આ લોકોએ મને પ્રેરણા આપી હતી. મેં તેમને ખૂબ જ ખરાબ રીતે નિરાશ કર્યા છે. મને આશા છે કે એક દિવસ હું ગુમાવી ચુકેલું સન્માન પરત મેળવી શકીશ.’

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વોર્નરને ભાવુક જોઈને તેની પત્ની કેન્ડિસે તેને હિંમત આપી હતી. સાથે જ વોર્નરે એવું વચન આપ્યું કે તે ફરીથી તેના પરિવારને આવી સ્થિતિનો સામનો કરવો પડે તેનો કોઈ મોકો નહીં આપે.

જોકે, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વોર્નરે બોલ ટેમ્પરિંગ અંગે પોતાના રોલ અંગે કંઈ પણ જણાવ્યું ન હતું. નોંધનીય છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બોલ ટેમ્પરિંગ કેસમાં વોર્નર અને સ્મિથ પર એક-એક વર્ષ અને બ્રેનક્રોફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ લગાવી દીધો છે.

IPL 2018 : તો આ વખતે મોટાભાગની ટીમોને મળ્યા ‘સસ્તા’ કેપ્ટન

બોલ ટેમ્પરિંગ વિવાદમાં ફસાયા બાદ ડેવિડ વોર્નરની આઈપીએલથી પણ છૂટ્ટી થઈ ગઈ છે. વોર્નરે બુધવારે સનરાઈઝર્સ હૈદરાબાદનો કેપ્સનસી પદ છોડી દીધો હતો. તેના થોડા જ થોડા જ ટાઈમ બાદ તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યાર બાદ ગુરૂવારે સનરાઈઝર્સે ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસનને કેપ્ટનસીની જવાબદારી આપી દીધી હતી.

આ સાથે જ સ્પષ્ટ થઈ ગયું છે કે, આ વર્ષે આઠ ટીમોમાંથી માત્ર એક જ વિદેશી કેપ્ટન જોવા મળશે. વિલિયમ્સનને હૈદરાબાદે ત્રણ કરોડ રૂપિયામાં ટીમ સાથે જોડ્યો હતો. આ વર્ષે મોટાભાગની ટીમોએ જે ખેલાડીઓએ પોતાના કેપ્ટન પસંદ કર્યા છે, તેમની કિંમત તેમના ટીમના જૂનિયર ખેલાડીઓ કરતાં પણ ઓછી છે. આ સિઝનની મોટાભાગની ટીમોના કેપ્ટન માટે વધારે પૈસા ખર્ચવાની જરૂરત પડી નથી.

આ લિસ્ટમાં સૌથી ઉપર નામ છે દિલ્હી ડેયરડેવિલ્સના કેપ્ટન ગૌતમ ગંભીરનું. કોલકાતા નાઈટ રાઈડર્સને બે વખત ખિતાબી જીત અપાવનાર ગંભીર પર આ વર્ષે આઈપીએલમાં માત્ર બે કરોડ 80 લાખ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી. ત્યાર બાદ નંબર આવે છે, સનરાઈઝર્સના વિલિયમસનનો જેને ટીમે માત્ર 3 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

રાજસ્થાનના કેપ્ટન સ્ટીવ સ્મિથના હટ્યા બાદ કેપ્ટન બનેલ અજિંક્ય રહાણે પણ માત્ર ચાર કરોડ રૂપિયામાં કેપ્ટનસી કરતાં નજરે પડશે. દિનેશ કાર્તિક અને કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન અશ્વિન પણ આ વખતે આઈપીએલમાં જોઈએ તેટલા પૈસા મળ્યા નથી. આ બાબતે વિરાટ કોહલી ટોપ પર છે. આઈપીએલ ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનસી કરશે. વિરાટને તેમની ટીમે 17 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને મુંબઈના રોહિત શર્માને 15-15 કરોડ રૂપિયામાં પોતાની ટીમોએ રિટેન કર્યા હતા.

કયા કેપ્ટનને મળી કેટલી કિંમત
વિરાટ કોહલી – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – 17 કરોડ, મહેન્દ્રસિંહ ધોની – ચેન્નાઈ સુપર કિંગ્સ – 15, રોહિત શર્મા – મુંબઈ ઈન્ડિયન્સ – 15 કરોડ, આર અશ્વિન-કિંગ્સ ઈલેવન પંજાબ- 7.6 કરોડ, દિનેશ કાર્તિક – કોલકાતા નાઈટ રાઈડર્સ – 7.4 કરોડ, અજિંક્ય રહાણે – રાજસ્થાન રોયલ્સ – 4 કરોડ, કેન વિલિયમ્સન- સનરાઈઝર્સ ઈલેવન હૈદરાબાદ- 3 કરોડ, ગૌતમ ગંભીર – દિલ્હી ડેયરડેવિલ્સ – 2.8 કરોડ

ipl 2018 know how poor are the capatins of ipl-11